Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ધારી રેન્જમાં ૩૦ સિંહોના મોતની તપાસ માટે કેન્દ્રની ટીમ આવી

બેબીસીયા રોગથી જ સિંહનો મોત થયા છે ? નાનામાં નાની બાબતોની તપાસ થશે

ગીર સોમનાથ: ધારી (Dhari)  રેન્જમાં 30 સિંહોના મોત સંદર્ભે કેન્દ્રની ટીમે ધામા નાખ્યા છે. વનવિભાગ દ્વારા પહેલા તો સિંહો (Lion death)ના મોત સંદર્ભે કોઈ ફોડ ન પાડવામાં આવ્યો અને ત્યારબાદ સામાન્ય બેબીસીયા રોગનું તેમણે ગાણું ગાયું. જે 30 સિંહોના મોત થયા છે તેમા વધારે મોત નરસિંહોના થયા છે. કેન્દ્રની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમનું એનાલિસિસ કરવામાં આવ્યું.

અત્રે જણાવવાનું કે ગીર પૂર્વના ધારી વિસ્તારમાં 30થી વધુ સિંહોના મોત થયા હડકંપ મચ્યો છે. પરંતુ વન વિભાગ આ અંગે કોઈ જ ચોક્કસ કારણ જણાવી શકતું નથી. તેમના કહેવા પ્રમાણે બેબિસિયા રોગના કારણે સિંહોના મોત થયા છે પણ 30 સિંહોના મોત માત્ર બેબીસિયા રોગથી થાય તે વાત પાયાવિહોણી છે. તેમાં કોઈ તથ્ય ન જણાતા કેન્દ્રની ત્રણ પ્રકારની ટીમો ધારી અને ગિર વિસ્તારમાં આવી છે. આ ટીમો પોસ્ટમોર્ટમની વિગતો લઈને કયા કારણોસર સિંહોના મોત થયા તેની તપાસ કરી રહી છે.

કેન્દ્રની ટીમો તપાસ હાથ ધરી રહી છે કે આખરે આટલા મોટા પાયે સિંહોના મોત થયા તેની પાછળ કયુ કારણ જવાબદાર છે. કારણ કે વનવિભાગ દ્વારા આ અંગે કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી. બેબીસિયા રોગથી આટલા મોટા પાયે સિંહોના મોત થાય તેની પાછળ કોઈ જ વ્યાજબી કારણ જણાતું નથી.

(3:51 pm IST)