Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કારની ટ્રેકટર સાથે ટક્કર : જામનગરના લોહાણા વૃધ્ધનુ મોત

પુત્રની લગ્નની કંકોત્રી માતાજીના મંદિરે મુકીને પરત આવતા ખંભાળીયા પાસેે સર્જાયો અકસ્માત

ખંભાળીયા તા ૩૧ : ં જામનગરમાં ખંભાળીયા નાકા બહાર રહેતા ચુનિલાલ મધુસુદનભાઇ નામના ૬૫ વર્ષના લોહાણા વૃધ્ધ તેમના પુત્ર દિપક સાથે ગઇકાલે બુધવારે તેમની અલ્ટો કાર નંબર જીજે૧૦-૬૦૩૫ માં પુત્ર હાર્દિક ના લગ્નની કંકોત્રી માતાજીના મંદિરે પોરબંદર ખાતે મુકવા ગયા હતા.

કંકોત્ર્રી મુકીને પોરબંદરથી રાત્રીના સમયે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ખંભાળિયા-પોરબંદર માર્ગ પર  અત્રેથી આશરે ૨૭ કી.મી. દુર ભાડથર થી તાલુકા ગામ તરફ જતા માર્ગે રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે આ માર્ગ પર રહેલા એક ટ્રેકટરની ટ્રોલીમાં અલ્ટો કાર ધડાકાભેર અથડાઇ હતી.

આ ગંભીર અકસ્માતમાં ચુનિલાલ મધુસુદન મહેતાનું કરૂણ મૃત્યુ નીપજયું હતું જયારે દિપકભાઇને હોસ્પીટલમાં આવેલ મૃતકના નાના ભાઇ બકુલભાઇ મધુસુદન મોટલ (ઉ.વ. ૫૮) રહે. જામનગરની ફરીયાદ પરથી પોલીસે મૃતકના પુત્ર દિપક સામે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,૩૦૪ (અ) મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અપ મૃત્યુના આ બનાવ એ મૃતકના પરિવારજનો તથા રઘુવંશી સમાજમાં શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

(1:19 pm IST)