Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

હળવદની દ્વારકાધિશ હવેલીમાં અધિક જેઠ માસ નિમિતે વિવિધ મનોરથ

હળવદ, તા.૩૧: હળવદમાં લક્ષ્મીનારાયણ એકમાં આવેલી ગોવર્ધનધન હવેલીમાં વૈષ્ણવો દ્વારા અધિક જેઠ શુદ એકમથી જેઠવદ ૩૦, તા.૧૪/૬/૧૮ સુધી વિવિધ મનોરથ ઉજવણી દર્શન થશે તેમાં હિંડોળામાં કાચના હિંડોળા-ચુંડંદી મનોરથ, ખસખસના, વ્રજ કમળ, નાવમનોરથ, કઠોળ આબા મનોરથ, કાચી કેરી, સરકાર ટેટી, ફુલના ઝુલા, કેશરી ઘટા સાંજી, કુલના ઝુંલા, શરદઉત્સવ, દિપદાન વગેરે મનોરથ યોજાશે સાથે વૈષ્ણવો સાંજે ૬:૩૦ થી ૭:૩૦ સુધી કીર્તન આરાધના પણ કરે છે. આ કાર્ય માટે હવેલીના મુખ્યાજી અર્જુનજી. કિર્તનજી વગેરેનો સહિયોગ રહેલો છે

(11:56 am IST)