Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પાંચમી જૂને વ્હોરા સમાજ જન્મદીન ઉજવશે

જસદણ તા.૩૧ : દાઉદી વ્હોરા સમાજ દ્વારા તા.૫ જુન સાંજે ધર્મગુરૂના ૭૫માં જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરશે. સમાજના ત્રેપનમાં દાઇ ડો. સૈયદના અબુ જાફરૂસાદીક  આલીકદર મુફદલભાઇ સાહેબ 'સૈફુદીન'(ત.ઉ.શ) પોતાની જીવનયાત્રાના ૭૪વર્ષ પુર્ણ કરતા હોય ત્યારે જસદણ સહિત સૌરાષ્ટ્રભરના હજારો અનુયાયીઓ તેમના સ્વાસ્થ્ય અને દીર્ધાયુ  માટે દુઆ પ્રાર્થના કરશે. અત્રે એ નોંધનીય છે કે ઈસ્વીસન ૨૦૧૪માં ૫૩માં ધર્મગુરૂ બન્યા બાદ તાજદાર ડો.સૈયદના સાહેબ દેશ-વિદેશના પ્રવાસ કરી તેમના અનુયાયીઓને મળી તેમના અંતર-ખબર પુછી મદદરૂપ બન્યા છે.

(11:52 am IST)