Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ગોંડલ નગરપાલિકા તંત્રનું નવજાત ઓમ ને માતૃ-પિતૃ વાત્‍સલ્‍ય

ગોંડલ, તા. ૩૧ : ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ઉપર આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિરના નંદી પાસેથી તરછોડાયેલ હાલતમાં મળી આવેલ નવજાત શિશુ હાલ નગરપાલિકા સંચાલિત બાલશ્રમમાં પનાહ લઇ રહ્યું હોય આ નવજાત શિશુને બલાશ્રમ તંત્ર અને ચેરમેન અનિતાબેન પ્રફુલભાઇ રાજયગુરૂ દ્વારા ઓમ  નામ અપાયું હોય પાલિકા પ્રમુખ મનીષાબેન સાવલિયા ઉપપ્રમુખ હર્ષદભાઇ વાઘેલા તેમજ પૃથ્‍વીસિંહ જાડેજા સહિતનાઓએ ઓમ પાસે પહોંચી માતૃ-પિતૃ વાત્‍સલ્‍ય આપવામાં આવ્‍યું હતું અને ઓમ માટે તમામ જરૂરી કાર્યો કરવામાં આવશે તેવું પાલિકા તંત્ર દ્વારા જાણવામાં આવ્‍યું હતું.

(10:27 am IST)