Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જરૂરીયાતમંદો માટે રામેશ્વર સત્તાધારની જગ્યામાં ૧૬ રૂમ અપાશે ભોજન સહિતની વ્યવસ્થા કરાશે

જૂનાગઢ તા. ૩૧: સંત-સૂરાની ભૂમી સૌરાષ્ટ્રમાં આપતિ સમયે સંતો - મહંતો હંમેશા સેવાની સુવાસ પ્રસરાવતા  રહે છે.  હાલ કોરોના  વાયરસ સંદર્ભે વતન જવા તલપાપડ થતાં લોકો કે જરૂરીયાતમંદોને સ્થાનિક સ્તરે રહેવા જમવા સહિતની વ્યવસ્થાની જરૂરીયાત હોય આ સંદર્ભે રામેશ્વર સત્તાધારની  જગ્યાના ૧૬ રૂમ વહીવટતંત્રના હવાલે કરવા આ જગ્યાના  મહંત  ગોવિંદબાપુ ગુરૂ શામજીબાપુ દ્વારા જણાવાયુ છે.  વિસાવદર નજીક રામેશ્વર સત્તાધારની જગ્યામાં કોરોના સંદર્ભે આવનાર  લોકો માટે રહેવા  સાથે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરીયાત હોય તેમણે  મહંત ગોવિંદબાપુનો સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:52 pm IST)