Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જૂનાગઢમાં સોશ્યલ ડિસ્ટન્સ રખાવવા પોલીસની કાર્યવાહીઃ શાકમાર્કેટ અને દાણાપીઠ જેવા વિસ્તારોમાં ભીડ ના થાય તેવી તકેદારીના પગલાં

અનાજ-કરિયાણા સાથે લારીઓમાં સામે પણ ગ્રાહકોને ઉભા રહેવા માટે નિશાનીઓ કરી

જૂનાગઢ,તા.૩૧: કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા ઙ્ગજૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાન ઉપર આવેલ કે, કડીયાવાડ, સુખનાથ ચોક અને દાણાપીઠમાં ખરીદી સમયે એકસાથે ગ્રાહકોની ભીડ થતી હોઈ, શકમાર્કેટની ખરીદી જોખમકારક હોઈ, વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાના ભાગરૂપે આપેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ વી.કે. ઉંજિયા, પીએસઆઇ એચ. ડી.વાઢેર, વી.આર.ચાવડા તથા સ્ટાફના એ.એસ.આઇ. રવિરાજસિંહ, હે.કો. વિક્રમસિંહ, સંજયભાઇ, અનકભાઈ, દિનેશભાઈ, ઙ્ગસહિતની પોલીસ ટીમ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારી ડોડીયા તથા સ્ટાફ સાથે સંકલન કરી, તમામ શકભાઈની લારી વાળા ની મિટિંગ કરી, કડીયાવાડની શાક માર્કેટ દાતાર રોડ ઉપર શિફ્ટ કરી, લારીઓ લારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રખાવી, શાકભાજીના વેપારીઓને પણ શાકભાજી લેવા આવતા ગ્રાહકો વચ્ચે જગ્યા રાખવા સુચનાઓ કરી, સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, જેના લીધે પહેલા કરતા ઘણા દૂર રાખી, સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરવાના પ્રયત્નો કરવામાં આવેલ છે. આજ રીતે સુખનાથ ચોકમાં પણ વ્યવસ્થા ગોઠવવામાં આવતા, શાકભાજીના વેપારીઓ તથા ગ્રાહકોમાં સલામતીની લાગણી જન્મેલ છે. ઉપરાંત, લારીઓમાં સામે પણ ગ્રાહકોને ઉભા રહેવા માટે નિશાનીઓ કરી, સોશિયલ ડિસ્ટન્સ રખાવવા કાર્યવાહી પણ કરવામાં આવેલ છે....

ઉપરાંત, દાણાપીઠ ખાતે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા કાર્યવાહી કરાવી, દાણાપીઠમાં કલાક ૧૧.૦૦ થઈ બપોરના ૨.૦૦ વાગ્યા સુધી છૂટ આપવામાં આવેલ હોઈ, ત્યાં પણ ભીડ થતી હોય, ખરીદી કરવા માત્ર રિટેઇલ વેપારીઓ જ આવે અને છૂટક ચીજ વસ્તુ લેવા આવતા લોકો નજીકની દુકાનમાંથી જ ખરીદી કરે, તેવી વ્યવસ્થા હોલસેલ વેપારી એસોસીએશન સાથે સંકલન કરી, વ્યવસ્થા ગોઠવવામાં આવતા તેમજ ખરીદી કરવા આવતા રિટેઇલ વેપારીઓ તથા માલવાહક વાહનો બહાર રાખવા અને માલ લાઇ જવા સમયે જ વાહન અંદર લાવવાની વ્યવસ્થા ગોઠવતા, ભીડ ઉપર કાબુ મેળવી, સોશિયલ ડિસ્ટન્સ રાખવા મહાદઅંશે સફળ થયેલ છે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા કોરોના વાયરસ ઙ્ગબાબતે લોક ડાઉનનો અમલ કરાવી, વેપારીઓ તથા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ રાખે એ માટે પ્રયત્નો કરી, વેપારીઓ અને લોકોની ચિંતા કરી, ઙ્ગલોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ સાથે કાળજી પણ લેવાનું શરૂ કરવામાં આવેલ છે.

(12:47 pm IST)