Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જસદણમાં સરદાર નિગમના ચેરમેન ડો.બોઘરાએ સમીક્ષા બેઠક યોજી

જસદણ,તા. ૩૧: જસદણ તાલુકા સેવા સદન ખાતે મીટીંગ હોલમાં જસદણના પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ચેરમેન ડો. ભરતભાઇ બોદ્યરાના અધ્યક્ષસ્થાને જસદણ વીંછિયા પંથકમાં કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ પ્રસંગે જસદણ ડેપ્યુટી કલેકટર પ્રિયંકકુમાર ગલચર, મામલતદાર શ્રી ઝાલા, પીએસઆઇ નિકુંજભાઈ જોશી, સેવાભાવી અગ્રણીઓ અશોકભાઈ મહેતા, ભરતભાઈ જનાણી, નરેશભાઈ દરેડ, નિલેશભાઈ રાઠોડ, જસદણ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, ઉપપ્રમુખ પ્રતિનિધિ પંકજભાઈ ચાવ, કેળવણીકાર કમલેશભાઈ હિરપરા, જસદણ ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણી, વિજયભાઇ રાઠોડ, રમેશભાઈ હિરપરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જસદણ પંથકમાં જલારામ મંદિર દ્વારા ચાલતી ટિફિન સેવા,ઙ્ગ શાકભાજી દૂધની વ્યવસ્થા સહિતની કોરોનાને લીધે લોકડાઉન દરમિયાન ઉપસ્થિત થતાં વિવિધ પ્રજાના પ્રશ્નોની સમીક્ષા અને ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.

(11:23 am IST)