Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સોમનાથના ધારાસભ્યની રજૂઆતને પગલે જખૌ બંદરેથી સૌરાષ્ટ્રના માછીમારોને લઇ ૧૦ બસો રવાના

ભુજ તા. ૩૧: કોરોનાને પગલે લોકડાઉન દરમ્યાન દરિયો ખેડવા સામે પણ સર્જાયેલા ભયને પગલે જખૌમાં મારછીમારી માટે આવેલા સૌરાષ્ટ્રના માછીમારો જખૌ બંદરે અટવાયા હતા.

આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા આ માછીમારોને વતન પહોંચાડવા માટે રજુઆત કરાઇ હતી. જેને પગલે ૧૦ બસો દોડાવીને આ માછીમારોને વેરાવળ, દ્વારકા, જામનગર અને ઓખા પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ હતી.

(11:19 am IST)