Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જામકંડોરણામાં ખોડલધામ સમિતી દ્વારા ભૂખ્યાને ભોજન આપવાનો સેવાયજ્ઞ

દરરોજ બપોરે અને સાંજે ગરીબ લોકોને અપાતુ ભોજન

 જામકંડોરણા તા.૩૧ : કોરોના વાયસરના લીધે સમગ્ર દેશમાં તથા રાજયમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે જામકંડોરણા પણ સજ્જડ બંધ છે. ત્યારે જામકંડોરણામાં ખોડલધામ સમિતિ દ્વારા ઝુંપડ પટીમાં વસતા ગરીબ લોકો માટે દાતાઓના સહયોગથી દરરોજ બપોર તથા સાંજે જામકંડોરણામાં ઝુંપડ પટીમાં વસતા લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખોડલધામ સમિતિના સભ્યો જાતે ઝુંપડ પટીમાં જઇ ગરીબ પરીવારોને ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે દરરોજ પુરી, શાક, ખીચડી, ગાંઠીયા, ગુંદી,લાડવા સહિતના અલગ અલગ મેનું પીરશી ઝુંપડપટીમાં વસતા ગરીબ પરીવારોની જઠરાગ્નિ સેવાયજ્ઞ કરી રહ્યા છે. ખોડલધામ સમિતના આ ઉમદા કાર્યમાં સહભાગી બનવા માંગતા દાતાશ્રીઓએ ખોડલધામ સમિતિના સભ્યોનો સંપર્ક કરી શકશે.

(10:20 am IST)