Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વઢવાણના આદીનાથ જિનાલયમાં ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

સુરેન્‍દ્રનગર સુરેન્‍દ્રનગર પાસેના વઢવાણ શહેરમાં આવેલ આદીનાથ દાદા જિનાલયની સ્‍થાપના વિક્રમ સંવત ૧૮૨૯ની મહા સુદ સાતમના દિવસે થઈ હતી. ત્‍યારે જિનાલયના ૨૫૦મા ધ્‍વજારોહણ કાર્યક્રમનું ધામધુમથી આયોજન વઢવાણ મુર્તી પુજક જૈન સંઘ દ્વારા કરાયુ હતુ. જેમાં તા. ૨૮મીને શનિવારે દાદાના જીનાલય પર ધ્‍વજારોહણ કરાયુ હતુ. આ પ્રસંગે જૈન સાધુ-સાધ્‍વીઓ અને શ્રાવકો મોટીસંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.  વઢવાણ આદીનાથ દાદા નો ત્રિદિવસીય જૈનોઉત્‍સવ રંગેચંગે સંમ્‍પન થયો હતો. તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(10:39 am IST)