Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સોરઠનાં શિરમોર પત્રકાર અને સૌરાષ્‍ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી કાર્તિકભાઇ ઉપાધ્‍યાયનું નિધન

અખબારી આલમ શોકમગ્ન-બપોરે અંતિમ દર્શનઃ કાલે સવારે અંતિમયાત્રાઃ ગુરૂવારે સાંજે ૪ થી ૭ બેસણુ

(વિનુ જોશી) જુનાગઢ તા. ૩૧ :.. સોરઠનાં શિરમોર પત્રકાર અને સૌરાષ્‍ટ્ર ભૂમિ દૈનિક જુનાગઢનાં તંત્રી અને માલિક કાર્તિકભાઇ રતિલાલ ઉપાધ્‍યાયનું નિધન થતાં તેમનાં પરિવારજનો તેમજ અખબારી આલમમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે.

પત્રકારોની પાઠશાળા એવા કાર્તિકભાઇ ઉપાધ્‍યાયે ગઇકાલે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના અવસાનનાં સમાચાર મળતાં સગા- સ્‍નેહીઓ, પત્રકારો, આગેવાનો, અધિકારી - પદાધિકારીઓ વગેરે દુઃખની લાગણી વ્‍યકત કરી હતી.

પત્રકાર ક્ષેત્રનો વડલો ગણાતાં કાર્તિકભાઇ ઉપાધ્‍યાય તેમની પાછળ ધર્મપત્‍ની રશ્‍મિબેન, દિકરીઓ ભાવિનીબેન મિલનભાઇ ગાંધી, યેશાબેન સિધ્‍ધાર્થભાઇ ત્રિવેદી,  શૈલાબેન ચિરાગભાઇ જાની, રિધ્‍ધિબેન કુશલભાઇ પારેખ તેમજ પુત્ર અભિજીત ઉપાધ્‍યાય, પુત્રવધુ નિષ્‍ઠાબેન ઉપાધ્‍યાય અને પૌત્રી આરનાને વિલાપ કરતા છોડી ગયા છે.

આજે સાંજનાં ૪ થી પ દરમ્‍યાન કાર્તિકભાઇનો પાર્થિવ દેહ દર્શનાર્થે તેમના નિવાસ સ્‍થાન ‘અભિજીત' બંગલો, પીએન્‍ડટી કોલોની, ગાંધીગ્રામ, પોલીસ ચોકી પાછળ, જુનાગઢ ખાતે રાખવામાં આવેલ. જેમાં સગા-સ્‍નેહીઓ, પત્રકારો, આગેવાનો વગેરેએ શ્રધ્‍ધાંજલી અર્પી હતી.

સદ્‌્‌ગતની અંતિમ યાત્રા આવતીકાલ તા. ૧ નાં રોજ સવારે ૯.૩૦ કલાકે તેમના નિવાસ સ્‍થાન ખાતેથી નીકળશે. જયારે સદ્‌્‌ગતનું બેસણુ તા. ર ફેબ્રુઆરી, ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૭ દરમ્‍યાન ભૂતનાથ મહાદેવ મંદિર, સત્‍સંગ હોલ, જુનાગઢ ખાતે રાખેલ છે.

(10:16 am IST)