Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

બોટાદ : સમઢીયાળા ખાતે ઠાકોર સમાજ દ્વારા સન્માન સમારોહ સંપન્ન

બોટાદ : બોટાદ જીલ્લાના સમઢીયાળા ખાતે ઠાકોર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.  યોગીધામના આંગણે યોજાયેલ આ સમારોહમાં મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ઉપસ્થિત ઠાકોર સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, ઠાકોર સમાજ એ મહેનતુ સમાજ છે. આ સમાજના લોકો તેમની મહેનત થકી આગળ વધી રહ્યા છે, તેમ છતાં અન્ય સમાજની સરખામણીમાં આ સમાજનો ઝડપી વિકાસ થઇ શકયો નથી તેનું એકમાત્ર કારણ હોય તો તે છે શિક્ષણ. ઠાકોર સમાજે પણ તેમના દિકરા -દિકરીઓ શિક્ષણક્ષેત્રે આગળ વધે તે માટેની ચિંતા કરવી પડશે. શિક્ષણ થકી જો બાળકોનો વિકાસ થશે તો જ કુટુંબનો વિકાસ થશે અને તેના થકી સમાજનો અને સમાજ થકી રાજયનો વિકાસ થઇ શકશે. સાસંદશ્રી દેવજીભાઇ ફતેપરાએ તેમજ પૂ. નિર્મળ સ્વામી એ પ્રસંગને અનુરુપ ઉદ્બોધન કર્યુ હતું. તથા અંતમાં આભાર વિધિ શ્રી ચંદુભાઇ ઠાકોરે કરી હતી.આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તથા શ્રેષ્ઠીજનોએ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રણીઓ સર્વશ્રી સી.બી. ખંભાળીયા, અશોકભાઇ, પોપટભાઇ અવૈયા, ધીરુબાપુ તથા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં તે પ્રસંગની તસ્વીર.

(11:45 am IST)