Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ધોરાજીના મોતીનગર વિસ્તારમાં પાણીની લાઇનો લીકેજઃ પાણી ન મળતા લોકો પરેશાન

ધોરાજીના મોતીનગર વિસ્તારમાં નવા રોડ બનેલ તેની બાજુમાં પાણીની લાઇનો લીકેજને કારણે પુરતા ફોર્સથી પાણી ન મળતા લોકો હેરાન - પરેશન થઇ ગયેલ છે. ઘણા સમયથી પાણીની લાઇનો ટૂટી ગયેલ  અને લાઇનો લીકેજ હોવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાડ થાય છે. અને પાણી લીકેજને લીધે પાણી બગાડ બાદ ગંદુ પાણી ફરી લાઇનમાં જાય છે. અને લોકોના આરોગ્ય પર ખતરો છે. આ અંગે લતાવાસીઓએ રજૂઆત કરવા છતાં પાણીની  લાઇનો રીપેરીંગ કરવામાં ન આવતા લતાવાસીઓ ચીફ ઓફીસરને રૂબરૂ રજૂઆત કરેલ હતી. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા)

(11:23 am IST)