Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 દીપડાઓને જામનગરના ઝૂમાં ખસેડાશે

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય દીપડાઓ માટેનું એકમાત્ર પુનર્વસન કેન્દ્ર : ગ્રીન જિયોલોજિકલ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર ખાતે મોકલાશે

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 જેટલા દીપડાઓને જામનગર નજીક કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળતા ગ્રીન જિયોલોજિકલ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર ખાતે મોકલવામાં આવશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 જેટલા દીપડાઓને મોકલવાની મંજૂરી મળતા અત્યાર સુધીમાં 24 જેટલા દિપડાઓને મોકલવાની કામગીરી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા કરવામાં આવી છે, હવે આગામી દિવસોમાં બાકી રહેતા 11 દીપડાઓને મોકલીને પ્રથમ તબક્કાના સ્થળાંતરને પૂર્ણ કરવામાં આવશે.

    જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાનું જૂનું પ્રાણી સંગ્રહાલય છે. અહીં સમગ્ર ગુજરાતમાંથી દીપડાઓને લાવીને તેમની વર્તણુંક દિનચર્યા સહીત અનેક બાબતોને લઈને દીપડાઓ પર સંશોધન કરવામાં આવે છે. અહીં લાવવામાં આવેલા દીપડાઓ સમગ્ર    ગુજરાતમાંથી માનવી દ્વારા શિકાર પામેલા અને અનાથ મળી આવતા તેમને અહીં રાખવામાં આવે છે જ્યાં અનાથ દીપડાઓને છોડીને અન્ય દીપડાઓને આજીવન કેદ કરવામાં આવે છે. આથી અહીં દીપડાઓની સંખ્યામાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાનગી જિયોલોજિકલ પાર્કમાં દીપડાને મોકલવાથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાનું ભારણ ઘટશે. આથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાનગી પાર્કમાં દીપડાઓને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(10:42 pm IST)