Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જુનાગઢ પોલીસ તંત્ર દ્વારા શ્રધ્ધાજંલી

 ગુજરાત રાજય  અમદાવાદ શહેર ખાતે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. અર્જુનસિંહ ફતેસિંહ નું કોવિડ ૧૯ સંક્રમણના કારણે  તા. ૨૮.૧૧.૨૦૨૦ના રોજ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયેલ હતું. જેથી, સ્વર્ગસ્થ  કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે હેતુ સર  ગુજરાત રાજયના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ,  તેઓ જે સ્થળે હોય, તે સ્થળે બે મિનિટ મૌન પાળવાના ભાગરૂપે  જૂનાગઢ જિલ્લા પોલીસ વડા   રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એલઆઈબી શાખાના પીઆઇ એલ.એચ.ભુવા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, ટ્રાફિક પીએસઆઇ એ.બી.દેસાઈ, એએસઆઇ ઝવેરગીરી, અશોકભાઈ, કમલેશભાઈ, હે.કો. મયુરભાઈ, દેવેન્દ્રસિંહ, કમાન્ડો સિદ્ઘરાજસિંહ, સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા ટીઆરપી જવાનો સાથે બે મિનિટ મૌન પાળી પ્રાર્થના કરવામાં આવેલ હતી.

(11:38 am IST)