Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સુરેન્દ્રનગરમાં કડબ ભરેલ આયશર સળગી ગયું

વઢવાણઃ સુરેન્દ્રનગરદાળમીલ રોડ વિસ્તારમાં આવેલ ખોડીયારપરા રહેણાંક વિસ્તારમાં ખુલ્લા કંમ્પાઉન્ડમાં રહેલ કડબ ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી લોકોના ટોળેટોળાં ઉમટી પડયાં હતાં અને થોડીક ક્ષણોમાં આગ ફેલાતા અફડાતફડી પણ જોવા મળી હતીબે જેટલાં ફાયર ફાયટર અને ટીમના જય રાવલ, દિગુભા, વિજયસિંહ, જીગ્નેશ બારૈયા તેમજ અધિકારી છત્રપાલસિંહ ઝાલા સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતાં. સદ્દનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ આયશર સહિત કડબનો જથ્થો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો તપાસમાં શોટસર્કિના કારણે આગ લાગી હોવાની ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી.

(11:36 am IST)