Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મોરબીના માધાપરમાં ઉભરાતી ગટરથી રહીશો ત્રાહિમામ :પાલિકાએ સમસ્યાના ઉકેલની માંગ

 

મોરબી :શહેરના અનેક વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા જોવા મળે છે જેમાં માધાપર વિસ્તારના રહીશોએ ઉભરાતી ગટરથી કંટાળી જઈને પાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો અને તાકીદે સમસ્યાના ઉકેલની માંગ કરી છે

મોરબીના માધાપર શેરી નં ૧૨ માં ગટર ઉભરાવવાનો પ્રશ્નો હોય જેથી આજે સ્થાનિક રહીશોનું ટોળું પાલિકા કચેરી દોડી ગયું હતું અને સમસ્યા અંગે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે માધાપર શેરી નં ૧૨ માં વગર વરસાદે ઘર પાસે ગટર ઉભરાય છે અને ગંદા પાણી રોડ પર ફરી વળે છે જેથી રોગચાળાનો ભય પણ રહીશોને સતાવે છે ગટરના પ્રશ્ને તાકીદે પગલા ભરાય અને ઉભરાતી ગટરની સમસ્યામાંથી રહીશોને છુટકારો આપવાની માંગ કરી હતી

(12:44 am IST)