Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સૂર્યશકિત કિસાન યોજના જગતના તાતને નવી ઉર્જા પ્રદાન કરશે : સાંસદ પૂનમબેન

જામજોધપુરના સડોદર ખાતે સરકારની ખેડૂતલક્ષી યોજનાનું લોકાર્પણ કરાયું

(અશોક ઠક્કર/ મુકુંદ બદિયાણી દ્વારા) જામજોધપુર-જામનગર, તા. ૩૦ :  ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનુ જામનગર જિલ્લામાં લોકાર્પણ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે  પૂનમબેન એ જણાવ્યું હતું કે  સૂર્યશકિત કિસાન યોજના જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે.

ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનુ જામનગર જિલ્લામા સંસદસભ્ય  પૂનમબેન માડમના  હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ આ તકે  પૂનમબેન એ જણાવ્યુ હતુ કે સુર્યશકિત કિસાન યોજના જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે.

ગુજરાત સરકારની, ખેડૂતો માટેની  મહત્વપુર્ણ યોજનો  સૂર્યશકિત કિસાન યોજનોનું, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં, સડોદર ખાતેથી યોજાયેલા ખાસ સમારોહમાં સમાણા ના ૬૬ કે.વી. સબસ્ટેશન ના મેથાણ ફીડરથી, લોકાર્પણ  સંસદસભ્ય  પૂનમબેન માડમ ના વરદ હસ્તે કરવામા આવ્યુ હતુ ત્યારે ગ્રામ્ય વિસ્તાર માટે એક ઉત્સાહના સંચાર સમાન વાતાવરણ બની રહ્યુ હતુ અને કુમારીકાઓએ સાંસદ  પૂનમબેન નુ કુમકુમ તિલક કરી મંગલમય વાતાવરણ માં  હોંશભેર સ્વાગત  કર્યુ હતુ.

આ તકે ખેડુતોને સંબોધન કરતી વેળાએ સાંસદ  પૂનમબેને જણાવ્યુ હતુ કે જગતના તાત ને વિજળી માટે સ્વાવલંબી બનવા બદલ હુ અભિનંદન પાઠવુ છુ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ધરતીપુત્રોને સન્માનભેર આત્મનિર્ભર બનાવવાની દિશામા કૃષી બીલ સુધારા-કિસાન સહાય પેકેજ-સાત પગલા ખેડૂત કલ્યાણના- ટેકાના ભાવે ખેત ઉત્પાદન ખરીદી અને એ ઉપરાંત વાવણીથી વેંચાણ સુધી ની અનેકવિધ યોજનાઓ અને જગતના તાત ને મદદ કરવા માટે  લેવાયેલા અનેક પગલાઓથી ખેડૂતો માટે ઐતિહાસીક પ્રગતિ સાથે હરિયાળી ક્રાંતિના દ્વાર ખુલ્યા છે ખાસ કરીને સાંસદસભ્ય કે ખેડુતો પરસેવો પાડી અથાગ જહેમત કરી ખેત ઉત્પાદન માટે રાત દિવસ એક કરે  છે તેમાં તેમના પરિવારનો પણ નોંધપાત્ર  સહયોગ હોય છે તેમજ આ રીતે અન્નદાતાઓની જહેમત દ્વારા થતા  ખેતઉત્પાદનો આપણા ખેતીપ્રધાન રાષ્ટ્રમાં અર્થતંત્ર માટે તેમજ પ્રગતિ માટે મહત્વનો હિસ્સો ધરાવે છે તેમ  જણાવી, વાવણીથી વેંચાણ સુધીની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવા અંગે કેન્દ્ર સરકાર અને રાજય સરકારશ્રીનો પણ  સાંસદ  પૂનમબેને  આભાર વ્યકત કર્યો હતો.

આ લોકાર્પણ સમારોહમાં જામનગર મહાનગર  ભાજપ પ્રમુખ  હસમુખભાઇ હિંડોચા- પુર્વ ધારાસભ્ય  બ્રિજરાજસિંહ જાડેજા -વાસ્મોના ડિરેકટર  અમુભાઈ વૈશ્નાણી-

જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી.ડોડિયા -તાલુકા ભાજપ મહામંત્રી માયાભાઈ બડીયાવદરા—તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઈ બેરા—મેથાણ ના સરપંચ નંદલાલ સિદપરા —તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ જોષી —મોટી ગોપના પુર્વ સરપંચ રાજાભાઇ નંદાણીયા તેમજ  આજુબાજુના ગામોના સરપંચો-આગેવાનો ઉપરાંત ખુબ જ બહોળી સંખ્યામા પરિવારજનો સહિત   ખેડૂતો તેમજ ગ્રામ્ય ભાઇઓ બહેનો અને વિજ વિભાગોના બંને એકમોના તેમજ પંચાયત રેવન્યુ ના લગત અધીકારીઓ  ટેકનીકલ ટીમ તેમજ સોલાર પેનલ નિષ્ણાંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમનુ સંચાલન ભરતભાઇ  અમૃતિયાએ કર્યુ હતુ.

(11:28 am IST)