Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સુરતમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે વતન સુરેન્દ્રનગરમાં આત્મહત્યા કરી

વઢવાણ તા. ૩૦ :.. સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન વિસ્તાર પાસે આવેલ શકિતપરા વિસ્તારમાં રહેતા અને સુરત જિલ્લામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવાને પોતાના જ ઘરે અગમ્ય કારણો વસાત ગળે ફાંસો ખાઇ લઇ આત્મત્યા કરી લેતા પરિવારમાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. દરમિયાન સુરેન્દ્રનગર પોલીસ તંત્રને આત્મહત્યા અંગે જાણકારી અપાતા ઘટના સ્થળે દોડી જઇ અને તપાસ હાથ ધરવામાં આવેલ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરતની માંગરોળમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સંજયભાઇ ગરીયા, નામના યુવાને પોતાના શકિતપરા પાસેના વિસ્તારમાં આવેલ ઘરે અગમ્ય કારણો વસાત ગળે ફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લીધેલ હતી ત્યારે આત્મહત્યા કરી લેતા સંજયભાઇ ગરીયાના સમાચાર આખાય વિસ્તારમાં ફેલાતા ભારે અરેરાટી ભર્યો માહોલ છવાઇ જવા પામ્યો હતો  જયારે પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાલમાં હાથ ધરેલ છે.

(4:11 pm IST)