Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સુરેન્દ્રનગર હોસ્પિટલમાંથી ફરાર કેદી અમરેલીમાં ઝડપાયો

વઢવાણ - અમરેલી તા. ૩૦ : વઢવાણ પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૨૬/૨૦૧૭ આઇ.પી.સી.કલમ ૩૦૨, ૩૦૭ વિ. મુજબના હત્યાના ગુન્હાના કામે સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના કેદી તરીકે હોય અને મજકુર કેદીને કોરોના પોઝીટીવ હોય જેથી સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ નર્સિગ હોમમાં કોવીડ-૧૯ સેન્ટરમાં રાખેલ હોય અને તા.૨૮/૦૯/૨૦૨૦ના કેદી નાસી ગયેલ.

આ કાચા કામના કેદી રાજુભાઇ ધીરૂભાઇ ઉર્ફે છગનભાઇ માથાસુરીયા (દેવીપૂજક) ઉ.વ.-૨૦ ધંધો-મજુરી રહે.-મૂળગામ-અમરેલી ઠે.મફતીયા પરા લીલાનગર અમરેલી-સા.કુંડલા બાયપાસ પાસે હાલ-સબ જેલ સુરેન્દ્રનગર વાળાને બાતમી આધારે પકડી પાડી અમરેલી સિવીલ હોસ્પીટલમાં કોરોના ટેસ્ટ કરાવેલ હોય અને સુરેન્દ્રનગર સબ જેલ ખાતે બાકી રહેલ સજા ભોગવવા સોંપી આપવા તજવીજ કરેલ છે.

આમ નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલીની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. એમ.એ.મોરી તથા પો.સબ ઇન્સ. ડી.એ.તુવર તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તથા એસ.ઓ.જી. અમરેલી દ્વારા ખુનના ગુન્હામાં સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કેદી તરીકે સજા ભોગવતો સિવીલ હોસ્પીટલ સુરેન્દ્રનગર ખાતેથી ફરાર કેદીને પકડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

(11:27 am IST)