Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મોરબી પંથકમાં આપઘાતના બે બનાવ

મોરબી સામાકાંઠે પરણિતા જયોત્સનાબેન મારૂણિયા અને આંદરણા ગામે ભરત ચાવડાનો ફાંસોખાઇ આપઘાત કારણ અંગે તપાસ

મોરબી, તા. ૩૦ : મોરબીના સામાકાંઠા વિસ્તાર અને આંદરણા ગામે આપદ્યાતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

મોરબીના સામાકાંઠે સિલ્વર પાર્ક મફતિયાપરાના રહેવાસી જયોત્સનાબેન અશોકભાઈ મારૂણીયા નામની પરિણીતા કોઈ કારણોસર પોતાના દ્યરે ગળેફાંસો ખાઈ આપદ્યાત કરી લીધો હોય જે બનાવને પગલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે જયારે બીજા બનાવમાં આંદરણા ગામના ર હેવાસી ભરત અમરશી ચાવડા (ઉ.વ.૨૮) નામના યુવાને પોતાની વાડીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપદ્યાત કરી લીધો છે પોલીસે બંને આપદ્યાતના બનાવની નોંધ કરી અંગે તપાસ હાથ ધરી છે. 

રફાળેશ્વર ગામેથી પરિણીતા  બે બાળકો સાથે ગુમ

મોરબીના રફાળેશ્વર નજીક આવેલ બીટા ગ્રાન્ટો પરા. લી માં રહીને મજુરી કરતા લક્ષ્મીદેવી અર્જુન શાહ (ઉ.વ.૨૫) નામની પરિણીતા ગત તા. ૦૯-૦૮ ના રોજ બે બાળકો રાહુલ (ઉ.વ.૦૫) અને મોહિની (ઉ.વ.૦૭) સાથે કોઈને કહ્યા વગર જતી રહી હોય જેથી આ અંગે પતિ અર્જુનસિંહ શાહે પોલીસમાં જાણ કરી છે પોલીસે પરિણીતા ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

 

(1:23 pm IST)