Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

લાખો પાટીદારોની આસ્થા સીદસરનું ઉમિયાધામ પાણીમાં 'ડૂબ્યું': પટાંગણમાં ગોઠણ સમાણા પાણી

ઉમીયાસાગર ડેમના ૧૭ દરવાજા પુરેપુરા પાંચ ફુટ ખોલી નાંખવામાં આવ્યા

જામનગર જીલ્લામાં જામજોધપુર નજીક આવેલા સીદસરમાં પાટીદારોના કુળદેવી ઉમીયામાં મંદિરના પગથીયા સુધી અને મંદિરના પટાંગણમાં ગોઠણ સમાણા પાણી ભરાયા હતાં. વર્ષ ર૦૧૮માં જીર્ણોધ્ધાર થયા બાદ પ્રથમ વખત મંદિર સુધી પાણી પહોંચ્યા છે.

સીદસરના સરપંચ ભરતભાઈ માકડીયાના જણાવ્યા પ્રમાણે સીદસરની ઉપરવાસના બાલવા,રબારીકા,વનાણા ગામોને આવરી લેતી વેણુ,ફુલઝર તેમજ ગાંઢણી નદીના નીર સીદસરથી પસાર થાય છે.આજે ભારે વરસાદને કારણે ઉમીયાસાગર ડેમના ૧૭ દરવાજા પુરેપુરા પાંચ ફુટ ખોલી નાંખવામાં આવ્યા બાદ ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો.રાત્રે ૯ વાગ્યા પછી પણ સીદસર ગામે વરસાદ ચાલુ છે.

(12:44 pm IST)