Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બાલાચડી સૈનિક સ્કુલ દ્વારા સ્વચ્છતા અભિયાન

જામનગર : સૈનિક સ્કુલ બાલાચડી એનસીસી કેડેટસે એનસીસી ગૃપ હેડ કવાર્ટર જામનગર દ્વારા ઉજવવામાં આવેલ સ્વચ્છતા પખવાડાના ભાગરૂપે બાલાચડીના પ્રખ્યાત બીચ પર સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યુ છે. ધો. ૮ થી ૯ના વિદ્યાર્થીઓએ બીચ અને તેની આસપાસની જગ્યાને સ્વચ્છ કરી હતી .આ કાર્ય એનસીસીના કાર્યવાહક સુબેદાર રતનસિંહ અને એશોસિએટ એનસીસી ઓફીસર આર.કે.સુવાગીયા અને એ.કે.સિંહના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યુ હતુ. આ અભિયાનનો હેતુ કેમ્પસ અને તેમની આસપાસ રહેલ પોલીથીન અને કચરોથી મુકત કરવાનો હતો. સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો તે તસ્વીર.

(12:24 pm IST)