Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ગણાત્રા પરિવાર દ્વારા વડિયાની તમામ ગરબી મંડળની બાળાઓને પ્રથમ નવરાત્રીના દિવસે પ્રસાદનું આયોજન

જુનાગઢ-વડિયા,તા.૩૦:વડિયા ગણાત્રા પરિવારો દ્વારા વડીયાની તમામ ગરબી મંડળની બાળાઓને પ્રથમ નવરાત્રીના દિવસે પ્રસાદનું આયોજન કરાયું દર વર્ષે વાડિયાના ગણાત્રા પરિવાર દ્વારા વડીયાની તમામ ગરબી મંડળની બાળાઓ અને આયોજકોને એક ભવ્ય જમણવાર કરવામાં આવી રહ્યું છે તે આ વખતની નવરાત્રીના પ્રથમ નોરતે તમામ બાળાઓને એકી સાથે બેસાડી (ગોરણી)કરી જમાડવામાં આવેલ અંદાજિત એક હજાર ઉપરની બળાઓની એકી સાથે બેસાડી પ્રસાદનું આયોજન કરાયું હતું. આ તકે વડીયાના રહીશ અને પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉદ્યાડ,તાલુકા પંચાયતના સદસ્ય તુષારભાઈ ગણાત્રા, સહિતના ગણાત્રા પરિવારો ઉપસ્થિત રહયા હતા ઉલ્લેખનીય છેકે ગણાત્રા પરિવારના મોભી અને બેસ્ટ રસોયા તરીકે વડિયા પંથકમાં ઓળખાય છે તે લલિતભાઈ ગણાત્રા વડિયા પંથકમાં ધાર્મિક જગ્યાઓના પ્રસંગોમાં બટુકભોજન જેવા કાર્યક્રમો મા નિઃશુલ્ક એક પણ રૂપિયા વગર પોતે રસોઈ બનાવી આપે છે જે ગણાત્રા પરિવારોનું ગૌરવ ગણાય છે.

(12:20 pm IST)