Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જામનગરનાં વોર્ડ પાંચમાં સ્વચ્છતા અભિયાનઃ

ભારતીય જનતા પાર્ટી દ્વારા એકાત્મ માનવવાદ તેમજ અંત્યોદયના પ્રણેતા પ્રખર રાષ્ટ્રવાદી એવા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ દ્વારા શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વોર્ડ.નં.૫માં વી.માર્ટ પાસે આ વોર્ડના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, બીનાબેન કોઠારી, વોર્ડ પ્રમુખ નયનભાઇ વ્યાસ, યુવા પાંખના પ્રમુખ અજયસિંહ તેમજ મનીષભાઇ ત્રિવેદી અને રાજદીપસિંહ વિગેરે દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરી તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયની તસ્વીર

(12:17 pm IST)