Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મોરબીમાં જુના ઝઘડાનો ખાર રાખી દંપતિ પર તલવારથી હુમલો : ૪ સામે ફરીયાદ

 મોરબી, તા. ૩૦ : મોરબીના વણકરવાસમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી  બે મહિલા સહિતના ચાર શખ્સોએ દંપતિ પર પરિવારની હુમલો કરી ઇજા કરી હતી.

મોરબીના વણકર વાસમાં રહેતા કિશારભાઈ દેવશીભાઈ જાદવ સાથે આરોપી શૈલેષભાઈ નાથાભાઈ,વર્ષાબેન શૈલેશભાઈ, નાથાભાઈ મંગાભાઈ અને ચંપાબેન નાથાભાઈએ અગાઉના ઝધડાનો ખાર રાખી આરોપી શૈલેશભાઈ નાથાભાઈએ ફરિયાદી કિશોરભાઈને માથાના ભાગે તલવાર વડે ઇંજા કરી અન્ય આરોપી વર્ષાબેન, નાથાભાઈ અને ચંપાબેનએ ફરિયાદી કિશોર તથા તેની પત્નીને ઢીકાપાટુંનો માર મારી હોવાની ફરિયાદ કિશોરભાઈ એ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

(12:16 pm IST)