Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ગોંડલમાં જુની અદાવતનો ખાર રાખી વિશાલ બાબરીયાને માર મારી લુંટી લીધો

જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની પણ ફરીયાદઃ કાનો ઉર્ફે કાનભા અને અજયસિંહ સહિત ૩ સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા.,૩૦: ગોંડલમાં ગુંદાળા ચોકડી  પાસે જુની અદાવતનો ખાર રાખી યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી માર મારી લુંટી લીધાની ૩ શખ્સો સામે ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં રહેતો વિશાલ બાબુભાઇ બાબરીયા ગુંદાળા ચોકડી નજીક ઉભો હતો ત્યારે જુની અદાવતનો ખાર રાખી કાનો ઉર્ફે કાનભા દરબાર (રહે. રઘુવીર સોસાયટી), અજયસિંહ દરબાર (રહે. ગોંડલ) તથા એક અજાણ્યા શખ્સે ઘસી આવી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઢીકા-પાટુનો માર મારી બે મોબાઇલ ફોન  તથા રોકડા રૂ. પ થી ૬ હજાર લુંટી નાસી છુટયા હતા. ફરીયાદી વિશાલને આઠેક મહિના પુર્વે કાનો ઉર્ફે કાનભા સાથે માથાકુટ થઇ હોય તેનો ખાર રાખી હુમલો કરાયો હતો.

બનાવ અંગે વિશાલ બાબરીયાએ ઉકત ત્રણેય શખ્સો સામે સીટી પોલીસમાં ફરીયાદ કરતા એસસીએસટી સેલના ડીવાયએસપી  એસ.એસ.મહેતાએ તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)