Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ટીવી ફેરવતા વીજ કરંટ લાગતા ઢેલાણાના યુવાનનું મોત

જુનાગઢ તા.૩૦: ટીવી ફેરવતા વીજ કરંટ લાગવાથી ઢેલાણાના યુવાનનું મોત થયુ હોવાનું જાણવા મળેલ છે.

માગરોળ તાલુકાના ઢૈલાણા ગામે રહેતા બાબુભાઇ લખમણભાઇ વાળા (ઉ.વ.૪૮) તેમના ઘરે એક રૂમમાંથી બીજા રૂમમાં ટીવી ફેરવતા હતા.

ત્યારે આ યુવાનને વીજ શોક લાગતા તેનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યુ હતુ.

(12:03 pm IST)