Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

શાપરના ૧૫ વર્ષના વિક્રમસિંહ જાડેજાનું બેભાન હાલતમાં મોતઃ બે માસ પહેલા કુતરૂ કરડ્યું'તું

રાજકોટ તા. ૩૦: શાપર વેરાવળના રામદેવનગરમાં રહેતાં વિક્રમસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૫)ને ગઇકાલે બપોરે ઘરે મોઢામાંથી અચાનક ફીણ નીકળવા માંડતાં શાપર સારવાર લીધી હતી અને ઘરે લઇ જવાયેલ. બાદમાં ફરીથી તબિયત બગડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં એએસઆઇ એન. બી. રાઠોડ અને અનિરૂધ્ધસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇમાં મોટો હતો. તેના પિતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે. પોલીસના કહેવા મુજબ બે મહિના પહેલા વિક્રમસિંહને કુતરૂ કરડી ગયું હતું તેની દવા શાપરથી જ ચાલુ હતી. ગઇકાલે અચાનક તબિયત બગડી ગઇ હતી અને મોત નિપજ્યું હતું.

(3:56 pm IST)