Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

સુરેન્દ્રનગરમાં કોરોના પોઝીટીવ -૧૩ દર્દી સાજા થતા આંખોમાં હર્ષાશ્રૃની ધારા વહી

સુરેન્દ્રનગર,તા.૩૦: સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની ભારતીબેન પરીમલભાઈ ગેડીયા, રંજનબેન ગોરધનભાઈ, હનુભાઈ ગોવુભાઈ, ભવનભાઈ ભીખાભાઈ, ભીમાભાઈ અમજીભાઈ, વઢવાણ તાલુકાના વતની મોતીબેન ગણપતભાઈ, કાળીબેન જીવાભાઈ અને ધ્રાંગધ્રા તાલુકાના વતની બળદેવભાઈ નાનજીભાઈ કણજરીયા, સવિતાબેન દ્યનશ્યામભાઈ, હિરાબેન કાનજીભાઈ, શિવાભાઈ ભુરાભાઈ તથા લીંબડી તાલુકાના વતની રમણીકભાઈ જીગરભાઈ ચાવડા તેમજ ચુડા તાલુકાના વતની અમીનભાઈ રસીકભાઈને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર ખાતે સઘન સારવાર બાદ તમામ દર્દીઓને તાવ,ઙ્ગશરદી,ઙ્ગખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૨૯ના રોજ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.(

(11:39 am IST)