Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફીસર ચાવડાની પી.એમ. સ્વનિધિ યોજનામાં શ્રેષ્ઠ કામગીરી

સુત્રાપાડા તા. ૩૦ :.. કોવિડ-૧૯ થી અસરગ્રસ્ત શેરી ફેરીયાઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા પી. એમ. સ્વનિધિ યોજના અમલમાં મુકવામાં આવેલ છે જેમાં શેરી ફેરીયાઓને કોઇપણ પ્રકારની સિકયોરીટી વગર માસિક હપ્તાથી એક વર્ષ સુધીમાં ૧૦,૦૦૦ ની લોન આપવામાં આવે છે. જેમાં સર્વે દ્વારા ઓળખ મેળવીને ૧૬૮ શેરી ફેરીયાઓમાંથી સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ૧૭ શેરી ફેરીયાઓના ફોર્મ ઓનલાઇન સબમીટ કરવામાં આવેલ છે. આ કામગીરી ખુબ જ ટૂંકા ગાળામાં નગરપાલિકા ચીફ ઓફીસર ડી. ડી.ચાવડાએ કરી હતી.

(11:28 am IST)