Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

માણાવદરના મટીયાણાની સગીરાનો મકાનની આડી સાથે લટકીને ગળાફાંસો

જુનાગઢ, તા., ૩૦: માણાવદરના મટીયાણાની સગીરાએ મકાનની આડી સાથે લટકીને ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઇ ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે માણાવદર તાલુકાના મટીયાણા ગામની ઉષાબેન ઉકડીયા (ઉ.વ.૧પ) નામની સગીરાએ ગઇકાલે પોતાના ઘરે સાંજના મકાનની આડી સાથે ચુંદડી વડે લટકીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

તરૂણીના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી. વિશેષ તપાસ માણાવદર પોલીસ ચલાવી રહી છે. (૪.૪)

(12:06 pm IST)