Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મોરબી: પતિએ ઠપકો આપતા પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપધાત.

મોરબીમાં પુલ પરથી અજાણ્યા પુરુષની મોત છલાંગ.

મોરબીમાં પરિણીતાએ અગમ્યકારનો સર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ૩૫ વર્ષીય જીતુબેન ઉર્ફે જીવતીબેન ઉમેશભાઈ વાઘેલાએ  મોરબી-૨ ઈન્દીરાનગર ખારા પટમાં  પોતાના ઘરે નળીયાના વાસમાં પોતાની સાડી વતી પોતાની રીતે ગળેફાંસો ખાધો હતો. જેથી પ્રથમ તેમને મોરબીની આયુષ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર અર્થે તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.આ મુદ્દે  મોરબી સીટી બી ડિવીઝન પોલીસ દ્વારા સી.આર.પી.સી. ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તપાસ અધિકારી પી જે પરમારે પ્રાથમિક તપાસ કરતા માહિતી મળી હતી કે મૃતક પરિણીતાને સંતાનમાં ૨ દીકરા હોય અને પતિએ કોઈ વાતને લઈને ઠપકો આપ્યો હોય જેને લઈને મુતક પરિણીતાને લાગી આવતા મોતને વ્હાલું કર્યું હતું
મોરબીના મયુર પુલ ઉપરથી કોઈ અજાણ્યા પુરુષે મોતની છલાંગ લગાવી મોત વહાલું કરી લીધો હોવાનોબનાવ સામે આવ્યો છે તો ધટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ દોડી જઈને વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મયુર પુલ પરથી અજાણ્યા પુરુષે અગમ્ય કારણોસર મચ્છુ નદીમાં મોતની છલાંગ લગાવતા નીચે પટકાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના વાલી, વર્ષ પરિવારજનોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે તો ક્યા કારણોસર મોતની છલાંગ લગાવી મોતને મીઠું કર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 

(11:06 pm IST)