Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

વંદે ગુજરાત અંતર્ગત મોરબીમાં આજથી સખી મેળો તેમજ પ્રદર્શન

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા પ્રદર્શન તેમજ સખી મેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મોરબી જિલ્લાના સખીઙ્ગમેળોઙ્ગતેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું ઉદ્દઘાટન રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે આજે ૩૦મી જૂનના રોજ સવારે ૧૦ કલાકે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય,ઙ્ગભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ,ઙ્ગગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે સમગ્ર રાજયમાં સખી મેળા તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું એલ. ઈ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે ૩૦ મી જૂન થી ૮મી જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્દઘાટનઙ્ગશ્રમ,ઙ્ગકૌશલ્ય વિકાસ અને રોજગાર,ઙ્ગપંચાયત (સ્વંતત્ર હવાલો),ઙ્ગગ્રામ વિકાસ,ઙ્ગગ્રામ ગૃહ નિર્માણઙ્ગરાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાઙ્ગદ્વારા કરવામાં આવનાર છે. જેમાં વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસ યાત્રાનું પ્રદર્શન તેમજ સખી મંડળો દ્વારા વેચાણ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય રાજયમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા,ઙ્ગકરછ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા,ઙ્ગરાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા,ઙ્ગજિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા,ઙ્ગહળવદ ધારાસભ્ય પરસોત્ત્મભાઈ સાબરિયા નગરપાલિકના પ્રમુખ કુસુમબેન પરમાર,ઙ્ગઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,ઙ્ગજિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા,ઙ્ગ ધારાસભ્ય પરસોત્ત્મભાઈ સાબરિયા,જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત અગ્રણી તેમજ જિલ્લા વહીટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૩૦મી જૂનથી ૮મી જુલાઈ દરમિયાન આ મેળાનો લોકોને વધુ ને વધુ લાભ લેવા મોરબી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(1:03 pm IST)