Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના કાળમાં સેવા કરનાર સેવાભાવીઓના સન્માન

મોરબી શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોનાના કપરા કાળમાં નિસ્વાર્થ સેવા કરનાર વિવિધ સેવાભાવી સંસ્થાના અગ્રણીઓના સન્માન કરીને તેમને કરેલી ઉમદા કામગીરીને બિરદાવવામાં આવી હતી
  શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા કોરોના મહામારીમાં નિસ્વાર્થ સેવા કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી, પંકજભાઈ રાણસરીયા, પટેલ ઓક્સીજન ટી ડી પટેલ, જય અંબે ગ્રુપ જીજ્ઞેશભાઈ કૈલા, તરુણભાઈ અઘારાનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરાયું હતું  
  સન્માન કરતી વેળાએ શક્તિસિંહ પીલુડી ઉપપ્રમુખ તથા પી એમ જાડેજા વિરપરડા ઉપ પ્રમુખ, ભગીરથસિંહ વાઘેલા ઉપપ્રમુખ, તથા શકિતસિંહ જાડેજા કેરાળી કરણી સેના મહામંત્રી, સુખદેવસિંહ જાડેજા વિરપરડા મહામંત્રી,  હર્ષજીતસિંહ જાડેજા, મહામંત્રી ઑમદેવસિંહ જાડેજા ગુંગણ  મહિપાલસિંહ જાડેજા કારોબારી સદસ્ય યોગીરાજ સિંહ ઝાલા કીડી,  બ્રિજરાજસિંહ ઝાલા જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ હાજર રહ્યા હતા

(9:49 pm IST)