Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ભાવનગર જિલ્લામાં ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં જ્યારે ૧ દર્દી બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૦૪ કેસો પૈકી ૧૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૪૦૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેર ખાતે રહેતાં ૨ પુરૂષ અને ૧ સ્ત્રી તેમજ તાલુકાઓમાં ૧ સ્ત્રી મળી કુલ ૪ કેસ નોંધાતા હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૦૪ કેસ પૈકી હાલ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૬ દર્દીઓનું અવસાન થયેલ છે.

(9:38 pm IST)