Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જેતપુરમાં ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા એકતા એજ લક્ષ્ય દ્વારા આવેદન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૩૦ :.. ગૌમાતા હિન્દુ આસ્થાનું પ્રતિક છે. કોઇપણ માણસને જન્મથી મૃત્યુ સુધી ગૌમાતાની જરૂર પડે છે. છતાં ગાયને કતલખાને મોકલી દેવામાં આવે છે. હિન્દુઓનાં આ દેશમાં અવાર નવાર ગૌમાતાને કતલખાને જતી ગૌરક્ષકો છોડાવે છે.

આપણા રાજયમાં મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન જીવદયા પ્રેમી હોય ગાયને રાષ્ટ્ર માતા તાત્કાલીક જાહેર કરવામાં આવે અને ગાયની કતલ કરનારને સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ સાથે એકતા એજ લક્ષ્યના નિલેશ જોષીની આગેવાની હેઠળ ગઇકાલે મામલતદારને આવેદન પત્ર પાઠવેલ. જેમાં સુભાષ તેરૈયા, વિજયભાઇ ચૌહાણ, રાજેશભાઇ, દિક્ષીતભાઇ, નિખીલભાઇ, કિશનભાઇ હાજર રહ્યા હતાં.

(1:39 pm IST)