Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

આપમાં જોડાયા બાદ કેશોદના મઢડા ગામના સોનલધામ મંદિરે દર્શને કરતા પ્રવિણ રામ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૩૦:  જુનાગઢ સર્કીટ હાઉસ ખાતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ વિધિવત રીતે આપમાં જોડાયા બાદ પ્રવિણ રામે કેશોદના સોનલધામ મઢડા ગામે દર્શન કરવા પહોંચી આઈ સોનલમાંને માથુ ટેકવી આર્શિવાદ મેળવી રાજકીય ક્ષેત્રે શુભારંભ કર્યો હતો.

જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના સફળ આંદોલનકારી પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સોનલધામ મઢડા ખાતે માતાજીના દર્શને આવ્યા હતા. જયાં માતાજી ચરણોમાં શિશ ઝુકાવી માતાજીને પ્રાર્થના કરી હતી કે છેલ્લા આઠ વર્ષથી જન અધિકાર મંચના માધ્યમથી લોકોના હિત માટે કાર્ય કર્યાછે અને આગામી સમયમાં પણ એ જ કાર્ય આપ પાર્ટિના નેજા હેઠ કરશું તેવુ તેમણે જણાવ્યું હતુ.

પ્રવિણ રામે પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવેલ કે પોતે આમ આદમી પાર્ટીમાં રાજકીય પ્રવેશ કરી જન હિતના કામોને આગળ વધારવા લોકોના પ્રશ્નોને વાચા આપીશુ તથા સાથે સાથે શૈક્ષણિક આરોગ્ય જેવી સામાજિક બાબતોને પણ મહત્વ મળી રહેશે તેવા પાર્ટીના નેજા હેઠળ કાર્ય કરતા રહીશુ.

પ્રવિણ રામે કેશોદ તાલુકાની જનતાને સંદેશ પાઠવતા જણાવેલુ કે જેતે સમયે કેશોદ તાલુકાના ખેડુતોના પ્રશ્નેા જન અધિકાર મંચના નેજા હેઠળ ઉકેલવાનો પ્રયત્ન કર્યા હતા તેજ રીતે આગામી સમયમાં પણ પાર્ટીના માધ્યમથી લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રયત્નશીલ રહીશ.

૨૦૨૨માં શિક્ષીત અને મજબુત સરકાર બનાવવા જઈ રહયા છીએ ત્યારે ગુજરાતની જનતાનો આપ પાર્ટીને સાથ સહકાર મળી રહેશે તેવી પ્રવિણ રામે આશા વ્યકત કરી હતી.

(1:30 pm IST)