Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરનાં દર્શને સાળંગપુર મંદિરના સંતો

જૂનાગઢ : ગિરનાર પર્વત ની ટોચ ઉપર બિરાજમાન જગત જનનીમાં અંબાજી મંદિર ખાતેમાં અંબે ના દર્શન કરતાં સવામી નારાયણના સંતોમાં અક્ષર મંદિર જૂનાગઢ અને સારંગ પુર મંદિરનાં સવાસો જેટલા સંતોએ માતાજીના દર્શન કર્યા હતાં જેમાં સારંગ પૂર મંદિરનાં કોઠારી સ્વામી પૂજય જ્ઞાનેશ્વર સ્વામી જૂનાગઢ અકસર મંદિર ના કોઠારી સ્વામી પૂજય ધર્મ વિનય સ્વામી સાથે રહ્યાં હતાં સંતો એ માતાજીને ફૂલ માળા અને પ્રસાદ ધર્યો હતો અને માંના રૂડા આશિર્વાદ લીધાં હતાં મંદિરના બંને મહંતો પૂજય તનસુખગીરી બાપુ અને ગણપત ગીરી બાપુ વતી મંદિરના પૂજારીઓ એ સંતો ના સ્વાગત સાથે માતાજીની ચૂંદડી શ્રીફળ પ્રસાદ સ્વરૂપે ભેટ આપ્યા હતાં માતાજીના દર્શન કરી સંતો ભાવ વિભોર થયા હતાં અને મંદિર ટ્રસ્ટની દર્શન માટેની સુંદર વ્યવસ્થા જોઈ પ્રસન્નતા વ્યકત કરી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:00 pm IST)