Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કેશોદના અજાબ અને રાપીંગપરા ગામમાં વિજળી પડીઃ ૧૭ મજુરોને ઇજા

કેશોદ,તા.૩૦: કેશોદ વિસ્તારમાં વરસી રહેલ હળવા વરસાદ સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિજળી ત્રાટકતા કોઈ જાનહાની થવા પામેલ નથ.

પ્રાપ્ત માહિતી મુજબ કેશોદ વિસ્તારમાં આજ સવારથી શરુ થયેલ હળવા વરસાદની સાથે તાલુકાના અજાબ અને રાણીંગપરા ગામે વિજળી પડેલ હતી. જેમાં અજાબઙ્ગ ગામે ઉમેશભાઈ દેવશીભાઈ ફળદુના મકાન પર વિજળી પડતા મકાનમાં તીરાડ પડી જવા પામેલછે. જયરે રાણીંગપરા ગામે ખેતરમાં મજુરો કામ કરતા હતા ત્યારે વિજળી પડતા ૧૭ મજુરોને ઈજા થતા ૧૦૮ એમ્બ્યુલનસમાં કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ હતા જયાં ફરજપરના ડો.ભીમાણીએ પ્રાથમિક સારવાર આપેલ હતી.આ સિવાય અન્ય કોઈ જાનહાનીના સમાચાર નથી.

રાણીંગપરામાં વિજળી પડતા ઈજાગ્રસ્તોમાં ચાર મજુર રાણીંગપરાના અને તેર મજુર બાવાની પિપળીના હોવાનુ જાણવા મળેલછે. ઈજાગ્રસ્તોના નામ નીચે મુજબ છે.

(3:59 pm IST)