Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કોરોનાના કારણે અમદાવાદ-સરખેજમાં ગુરૂપૂર્ણિમાં મહોત્સવ રદ : પૂ. ભારતીબાપુ

ભોજન પ્રસાદ, લોકડાયરો સહિતના કાર્યક્રમો બંધ રહેશે

જુનાગઢ તા. ૩૦ : આગામી તા. પ જુલાઇને રવિવારના રોજ ગુરૂપૂર્ણિમાં પર્વ હોય જેની દેશભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આ સંક્રમણના લીધે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા તમામ મેળા ધાર્મિક મેળાવડા ઉત્સવો પર પ્રતિબંધ લગાવ્યો છે.

જેને લઇને લોકહિત માટે સરખેજ અમદાવાદ શ્રી ભારતી આશ્રમ ખાતે યોજાનાર ગુરૂપૂર્ણિમાં મહોત્સવ લોકડાયરો સહીતના કાર્યક્રમ સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવેલ છે તેમ આશ્રમના સંસ્થાપક મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજએ સૌ ધર્મ પ્રેમી જનતા અને સેવક પરિવારને અખબારી યાદીમાં જણાવ્યું છે.

(11:52 am IST)