Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ભાવનગરમાં કોરોનાના વધુ ૫ કેસ પોઝીટીવઃ કુલ કેસની સંખ્યા ૨૪૭

કાળીયાબીડ,કૃષ્ણકુમાર અખાડા,રૂપાણી સર્કલ,ગોકુલધામ સોસાયટી વીરાની સર્કલ અને મહુવાના ભગવતી-૨ સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ

ભાવનગર, તા.૩૦: જિલ્લામા કાલે ૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૪૭ થવા પામી છે. ભાવનગરના પટેલ પાર્ક, કાળીયાબીડ ખાતે રહેતા ૬૪ વર્ષીય જીવરાજભાઈ ઈટાળીયા, કૃષ્ણકુમાર અખાડા ખાતે રહેતા ૪૨ વર્ષીય અમિતસિંહ વેગડ, રૂપાણી સર્કલ ખાતે રહેતા ૩૯ વર્ષીય ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ગોકુલધામ સોસાયટી, વિરાણી સર્કલ ખાતે રહેતા ૫૪ વર્ષીય રમેશભાઈ હાવલીયા અને મહુવાના ભગવતી-૨ સોસાયટી ખાતે રહેતા ૨૭ વર્ષીય લાલજીભાઈ બાંભણીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

જયારે ૭ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૧૮ જુનના રોજ ભાવનગરના સત્યનારાયાણ સોસાયટી ખાતે રહેતા ૬૧ વર્ષીય દર્શનલાલ ટીનુમલ રંગલાણી, તા.૧૯ જુનના રોજ ભાવનગરના ગોપાલનગર, ટોપ-૩ સર્કલ ખાતે રહેતા ૨૭ વર્ષીય શિલા દયારામ જાની, તા.૧૯ જુનના રોજ પાલીતાણાના દાણાપીઠ ખાતે રહેતા ૪૫ વર્ષીય મધુકરભાઈ શશિકાંતભાઈ વોરા, તા.૧૭ જુનના રોજ રાજુલાના ભેરઈ ગામ ખાતે રહેતા ૨૮ વર્ષીય મનિષ બાબુભાઈ મકવાણા, તા.૨૦ જુનના રોજ અમદાવાદના ન્યુ મધુરીકા પાર્ક ખાતે રહેતા ૨૫ વર્ષીય જગદિશભાઈ ગોહિલ, તા.૨૦ જુનના રોજ અમદાવાદના કતાડિયા વાડ ખાતે રહેતા ૪૬ વર્ષીય રાજેન્દ્રભાઈ ચૌહાણ અને તા.૨૦ જુનના રોજ વલ્લભીપુરના પાટીવાડા ખાતે રહેતા ૨૫ વર્ષીય ધાર્મિકભાઈ કનેરીયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.

 ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમાત દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨૪૭ કેસ પૈકી હાલ ૭૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧૬૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. સરકારશ્રીની નવી માર્ગદર્શીકા પ્રમાણે જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જયારે ૩ દર્દીઓનુ કોરોનાની સાથે અન્ય બિમારીઓ હોવાના કારણે અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૯,૪૮૯ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.

(11:49 am IST)