Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

કેશોદના ઝુંપડપટ્ટી વિસ્‍તારમાં વળજભવન હવેલી દ્વારા છાસ વિતરણ

(સંજય દેવાણી ધ્‍વારા) કેશોદઃ ગીરીરાજ નગર વિસ્‍તારમાં આવેલી પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાય ની વળજભવન હવેલી દ્વારા કેશોદ શહેર આસપાસના વિસ્‍તારમાં આવેલી ઝુંપડપટ્ટી વિસ્‍તારમાં કાળઝાળ ગરમીમાં છાસ વિતરણ કરવામાં આવ્‍યું હતુ. ચાંદીગઢ પાટીએ અને અગતરાય રોડ પર ઝુંપડા બાંધીને વસવાટ કરતાં શ્રમજીવીઓ ભિક્ષુકો ને ગરમીમાં રાહત મળે તેવા હેતુથી  છાસનું વિતરણ કરવામાં આવતાં શ્રમિકો અને ભિક્ષુકો નાં ચહેરા પર ખુશી વ્‍યાપી ગઈ હતી. વળજભવન હવેલી દ્વારા ત્રણસો લીટર જેટલી કરવામાં આવ્‍યું હતું. કેશોદના ગોપી ગૌસેવા ગળપ અને હરેરામ ગળપ નાં હોદેદારો તેમજ કાર્યકરો છાસ વિતરણ વ્‍યવસ્‍થા માં જોડાયાં હતાં.

(12:54 pm IST)