Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પોલીસ કર્મચારી અશોક છેલાણાએ ગળાફાંસો ખાઇ લીધો

અપરિણીત રબારી યુવક અમદાવાદ ફરજમાં હતો

ભાવનગર તા. ૩૦ : ભાવનગરના સિહોરમાં ગળેફાંસો ખાઇ યુવાન પોલીસકર્મીએ આપઘાત વહોરી લીધો છે. મૃતક અમદાવાદમાં ફરજ બજાવે છે અને ગઇકાલે જ અમદાવાદથી સિહોર આવ્યો હતો અને મોડી રાત્રે ઘર નજીક ઝાડ સાથે ગળાફાંસો ખાઇ લીધો હતો.

બનાવની વિગતો એવી છે કે, ભાવનગરના સિહોરમાં રાજીવનગર વિસ્તારમાં રહેતા અને હાલ અમદાવાદમાં ખોખરા પોલીસ મથકમાં એલ.આર. તરીકે ફરજ બજાવતા અશોકભાઇ નાથાભાઇ છેલાણા (ઉ.૨૬) નામના રબારી યુવાન જે ગઇકાલે અમદાવાદથી સિહોર આવેલ અને મોડી રાત્રે કોઇ કારણોસર ઘર નજીક ડુંગર વિસ્તારમાં આવેલ એક ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ બનાવની જાણ થતાં જ સિહોર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

મૃતક યુવાન અપરણીત છે અને છેલ્લા ચાર વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હતો. બનાવની જાણ થતાં જ રબારી સમાજના આગેવાનો દોડી ગયા હતા.

(2:34 pm IST)