Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વિરમગામની મહિલાનું કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલા મોત થતા જુદા - જુદા વિસ્તારો સીલ કરાયા

વઢવાણ તા. ૩૦ : વિરમગામના મહિલાનું કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલા મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. ૨૧ લોકોને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવેલ છે. જ્યારે ૬૦ વર્ષીય મૃતક મહિલાના રિપોર્ટ બાકી હોવાના કારણે હાલમાં તેનું મોત કોરોનાથી થયું છે કે કેમ જે રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.

(11:25 am IST)