Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

દેવભૂમિ દ્વારકાના વાડીનાર બંદરે એક નંબરનું સિગ્નલ : માછીમારોને સમુદ્રમાં નહીં જવા સૂચના

ફિશિંગ માટે ની પરવાનગી આપવાનું પણ કચેરી દ્રારા બંધ કરાયુ

અમદાવાદ : અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અને હવામાન વિભાગની આગાહીની પગલે આજે વહેલી  સવારે રાજ્યના અલગ અલગ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે. જેમાં  દેવભૂમિ જિલ્લાન વાડીનાર બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે.

જેનાથી માછીમારીને ચેતવણી આપવામાં આવી રહી છે કે સમુદ્ર તોફાની થવાની શક્યતા છે મોઝા વધુ ઉછળી શકે છે તેથી તાત્કાલિક નજીક ના બંદર પર પહોંચવા સૂચનાઓ આપવામાં આવતું સિગ્નલ લગાવેલ છે. જોકે મોટાભાગની ફિશિંગ બોટો કિનારા પાર આવી ગયેલા છે અને ફિશિંગ માટે ની પરવાનગી  આપવાનું પણ  કચેરી  દ્રારા બંધ કરવામાં આવેલ છે.

(11:09 am IST)