Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

જુનાગઢ ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળમાં નિમણુંક થતા સંતોનું સન્માન

 જુનાગઢઃ તાજેતરમાં ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના થતા તેમાં મહામંડલેશ્વર પુ.ભારતીબાપુ તેમજ શેરનાથબાપુનો સભ્ય તરીકે સમાવેશ થતા જુનાગઢ સમસ્ત બ્રહ્મયુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ આશીષ રાવલ, રમેશભાઇ મહેતા,  દેવાંગ જોષી, કમલેશ ભરાડ, જીજ્ઞેશ મહેતા સહીત સંગઠનની ટીમ દ્વારા બન્ને સંતોનું પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(3:58 pm IST)