Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

પહેલા વિજયભાઇ રાણસીકી આવનાર હતાઃ હેલીપેડ પણ બનાવાયુ હતુ

રાજકોટ તા.૩૦: રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં ચોમાસાના આગમન પહેલા 'સુજલામ સુફલામ' અભિયાનનો પ્રારંભ કરવામા આવ્યો છે અને ગામે ગામ જળસંચયના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

ત્યારે કાલે તા.૩૧ને ગુરૂવારે રાજકોટ જીલ્લાના નાના એવા રાણસીકી ગામમા જળસંચય કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવનાર હતા. રાણસીકી 'કમતડી' નદીના કિનારે 'હેલીપેડ' બનાવવામાં આવ્યુ હતુ. પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ્દ થયો હતો.

આ માટે જીલ્લા કલેકટર શ્રી રાહુલ ગુપ્તા પણ રાણસીકી ગામની મુલાકાતે આવી ગયા હતા.

રાણસીકીના સરપંચ ઘનશ્યામભાઇ કાછડીયાએ 'અકિલા' ને જણાવ્યુ હતુ કે ગાંધીનગર ખાતે ભાજપની રાષ્ટ્રિય પ્રમુખ  શ્રી અમિતભાઇ શાહ આવનાર હોવાથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાણસીકી પ્રવાસ રદ્દ થયો છે.

(12:10 pm IST)