Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

જેતપુર : વૈષ્ણવાચાર્ય કૃષ્ણકુમારજીનું પુરૂષોત્તમ મહિનાના મહિમા વિશે પ્રવચન

જેતપુર : પુષ્ટિ પ્રચાર અર્થે વિદેશ પ્રવાસે ગયેલ વૈશ્ણવાચાર્ય પ.પુ.કૃષ્ણકુમારજી મહોદય દ્વારા કેલીફોર્નીયાના વેલ ફલાવર ખાતે આવેલ શ્રીજી મંદિરમાં પુરૂષોત્તમ માસના મહિમા અંગે પ્રવચન યોજાયુ હતુ. જેમાં પુરૂષોત્તમ માસનું શું મહત્વ છે. શા માટે આવે છે તેમાં વૈષ્ણવોએ શું કરવુ જોઇએ. તેવુ માર્ગદર્શન આપેલ. કૃષ્ણકુમારજીની વાણીથી વૈષ્ણવો ભકિતમય બની ગયા હતા. સાથે સાથે શ્રી આશ્રયકુમારજી મહોદયે શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યો અંગે વચનામૃત પાઠવ્યા હતા. (તસ્વીર - અહેવાલ : કેતન ઓઝા, જેતપુર)

(12:04 pm IST)